Gaushala Event
Shree Gopal Gaushala > Events > મકરસંક્રાતિ
17
માર્ચ
મકરસંક્રાતિ
મકરસંક્રાંતિ તા. ૧૪મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. મકરસંક્રાંતિને ઉતરાયણ પણ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય ઉતર દિશા તરફ પ્રયાણ કરે છે. આ દિવસેસૂર્ય દેવ પોતાના પુત્ર શનિદેવના ઘરે ગુસ્સો ત્યજીને આવી ગયા હતા. તેથી મકરસંક્રાંતિએ પવિત્ર નદીમાં સ્નાન, ગૌદાન, ગૌપૂજા, ગોળ અને મમરા, લાડુનું દાન વિગેરે કરવાથી એક હજાર ગણું પૂણ્ય મળે છે તેમ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. આ સૌમાં ગૌદાનને ઉત્તમ માનવામાં આવે છે. આ સંસ્થામાં પણ દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે અલગ-અલગ દાતાઓ દ્વારા ગાયમાતાઓને લાડવા ખવડાવવામાં આવે છે. દર વર્ષે લાડુના દાતાઓ મળતા રહે છે.