Gaushala Event
Shree Gopal Gaushala > Events > વાર્ષિક પ્રોગ્રામ
17
માર્ચ
વાર્ષિક પ્રોગ્રામ
દર વર્ષે આ સંસ્થામાં વાર્ષિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. તા. ૧૬મી મે ના દિવસે ઉજવાય છે. તે દિવસે સવારથી સાંજ સુધી ગૌમાતાઓના કલ્યાણાર્થે રામધૂન રાખવામાં આવે છે. સાંજે મહેમાનો/દાતાઓ અને સમસ્ત ગ્રામજનોની સમુહ પ્રસાદી રાખવામાં આવે છે. દર વર્ષે આ દિવસે સાથે મળીને ગામનાં સર્વે ભાઈઓ / બહેનો સાથે પ્રસાદી લેવામાં આવે છે. આમ એકતા અને સંગઠન જળવાય રહે છે. રાત્રે ગૌમાતાઓના લાભાર્થે સાંસ્કૃતિક લોકડાયરો પણ રાખવામાં આવે છે. દાતાઓ તરફથી અનુદાન જાહેર કરવામાં આવે છે. દેશ-વિદેશના દાતાઓને આમંત્રણ આપવામાં આવે છે.